E-20 પેટ્રોલના વિરોધમાં ચાર ઓગસ્ટે સંસદ ઘેરવાની તૈયારી
E-20 પેટ્રોલના વિરોધમાં ચાર ઓગસ્ટે સંસદ ઘેરવાની તૈયારી
Published on: 27th July, 2026

નવી દિલ્હીમાં વિદ્યાર્થી અને જન-ઝી આંદોલન બાદ હવે 'ઈ૨૦ જનતા પાર્ટી' અને ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ ટેક્સી ડ્રાઈવરો તથા ટ્રાન્સપોર્ટરોનું સંગઠન ૧૦૦ ટકા શુદ્ધ પેટ્રોલની માગ સાથે ૪ ઓગસ્ટે સંસદ ઘેરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ઈ૨૦ પેટ્રોલને સ્ટાર્ડર્ડ બનાવતાં લોકો પાસે શુદ્ધ પેટ્રોલનો વિકલ્પ રહ્યો નથી, જેના કારણે ટુ-વ્હિલર અને ફોર વ્હિલરને નુકસાન થઈ રહ્યું છે. સંગઠનો વાહનોના માઈલેજમાં ઘટાડો અને એન્જિનના વધેલા મેઈન્ટેનન્સ ખર્ચ સામે વિરોધ કરી રહ્યા છે.