વર્તમાન મોસમમાં અપાયેલી છૂટના માત્ર 50% જ ખાંડ નિકાસ થવા સંભવ.
વર્તમાન મોસમમાં અપાયેલી છૂટના માત્ર 50% જ ખાંડ નિકાસ થવા સંભવ.
Published on: 02nd May, 2026

૨૦૨૫-૨૬ના ઓકટોબરથી સપ્ટેમ્બરની વર્તમાન ખાંડ મોસમમાં સરકાર દ્વારા એકંદરે મંજુર કરાયેલા ૧૫.૮૭ લાખ ટન ખાંડ નિકાસ કવોટામાંથી પચાસ ટકા જેટલી જ ખાંડની નિકાસ શકય બનશે તેમ સરકારી સુત્રો માની રહ્યા છે. ખાંડના વૈશ્વિક ભાવો નીચા પ્રવર્તતા હોવાથી વિશ્વ બજારમાં ભારત માટે ખાંડ નિકાસ કરવાનું મુશકેલ છે.વર્તમાન મોસમ માટે સરકારે પહેલા પંદર લાખ ખાંડ નિકાસની પરવાનગી આપી હતી. ત્યારબાદ વધુ પાંચ લાખની છૂટ આપવા નિર્ણય લેવાયો હતો.