અમરેલી પારેખ કોમર્સ કોલેજમાં 50 વિદ્યાર્થીઓ માટે 20 દિવસીય કૌશલ્યવર્ધન તાલીમનો શુભારંભ
અમરેલી પારેખ કોમર્સ કોલેજમાં 50 વિદ્યાર્થીઓ માટે 20 દિવસીય કૌશલ્યવર્ધન તાલીમનો શુભારંભ
Published on: 10th September, 2026

અમરેલીની કે. કે. પારેખ કોમર્સ કોલેજમાં રોજગારલક્ષી કૌશલ્યો વિકસાવવા માટે સરકાર પ્રાયોજિત ફિનિશિંગ સ્કૂલ પ્રોગ્રામ શરૂ કરાયો છે. આ 20 દિવસીય તાલીમમાં બી.કોમ. અને બી.બી.એ. સેમેસ્ટર-5ના 50 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. તાલીમ દ્વારા વિદ્યાર્થીઓના વ્યવસાયલક્ષી અને વ્યક્તિત્વ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કાર્યક્રમમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ, ફિનિશિંગ સ્કૂલ કો-ઓર્ડિનેટર અને ટ્રેનર ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને કોલેજ પરિવારે શુભેચ્છાઓ પાઠવી.