લખતરમાં ગૌવંશ પર જ્વલનશીલ પદાર્થ, જીવદયા પ્રેમીઓમાં રોષ.
લખતરમાં ગૌવંશ પર જ્વલનશીલ પદાર્થ, જીવદયા પ્રેમીઓમાં રોષ.
Published on: 14th May, 2026

લખતરમાં ગૌવંશ ઉપર છેલ્લાં કેટલાક સમયથી જવલનશીલ પદાર્થ તેમજ તિક્ષ્ણ હથિયાર વડે હુમલા કરવાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે શહેરમાં વધુ એકવાર ગૌવંશ ઉપર જવલનશીલ પદાર્થ અજાણ્યા શખ્સો દ્વારા નાંખતા ધણખુંટને ભારે ઇજા પહોંચી હતી. ગૌવંશને ઇજા પહોંચી હોવાની જાણ લખતરમાં આવેલ ઠાકરધણી ગૌ સેવાના કિશનભાઇ ભરવાડ તેમજ તેમના યુવાનોને જાણ થતા તાત્કાલિક ગૌવંશ પાસે પહોંચીને તેને રેસ્ક્યુ કરી લખતર સરકારી હોસ્પિટલ ખાતે આવેલ ગૌશાળામાં લાવી ઈલાજ કરવામાં આવ્યો હતો.