પાટણના શંખેશ્વર નજીક રૂની પાસે ST બસ હેઠળ ત્રણ પશુઓના મોત.
પાટણના શંખેશ્વર નજીક રૂની પાસે ST બસ હેઠળ ત્રણ પશુઓના મોત.
Published on: 02nd May, 2026

શંખેશ્વર તાલુકામાં રૂની પાસે એસટી બસની અડફેટે ત્રણ દુધાળા પશુઓના મોત નીપજ્યા હતા. રાણીપ-અમદાવાદ-ભુજ એસટી બસ ભુજ તરફ જતી હતી ત્યારે અચાનક રોડ પર આવેલા ભેંસોના ટોળા સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ ભેંસોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને એક પાડી ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનાથી પશુપાલક પરિવારને મોટું આર્થિક નુકસાન થયું હતું.