દાગીના બનાવવાના નામે બે કારીગર સાથે 30.90 લાખની ઠગાઇ
દાગીના બનાવવાના નામે બે કારીગર સાથે 30.90 લાખની ઠગાઇ
Published on: 04th September, 2026

રાજકોટમાં દાગીના બનાવવાના નામે બે બંગાળી કારીગર અલ્ફાઝુદીન મોહરમ અલી શેખ અને સુરજઅલી શેખ સાથે રૂા. ૩૦.૯૦ લાખની ઠગાઇનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ સોનાના દાગીના બનાવવાનો ઓર્ડર આપી, હિસાબ પેટે મળવાપાત્ર સોનું પરત નહીં આપી આ છેતરપિંડી આચરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઘટનાએ સોની બજારમાં ચકચાર જગાવી છે.