દિલ્હી વિધાનસભામાં 22 હજાર કરોડના રાશન કૌભાંડ મુદ્દે ધમાસાણ!
દિલ્હી વિધાનસભામાં 22 હજાર કરોડના રાશન કૌભાંડ મુદ્દે ધમાસાણ!
Published on: 11th August, 2026

દિલ્હી વિધાનસભામાં સબસિડીવાળા ચોખાના કથિત રાશન કૌભાંડ મુદ્દે આપ અને ભાજપ વચ્ચે ભારે ઘર્ષણ થયું. AAP ધારાસભ્યો તાત્કાલિક ચર્ચાની માગ કરી રહ્યા હતા, જેના પગલે ગૃહ અધ્યક્ષના આદેશ પર 8 AAP ધારાસભ્યોને માર્શલ દ્વારા બહાર કાઢવામાં આવ્યા. AAPનો દાવો છે કે આ કૌભાંડ 22 હજાર કરોડનું છે, જ્યાં ગરીબો માટેના ચોખા ખાનગી કંપનીને વેચવાની યોજના હતી. બીજી તરફ, દિલ્હી સરકારે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.