મહીસાગર જિલ્લામાં નિપુણ ગુજરાત અભિયાન હેઠળ પ્રાથમિક શાળાઓમાં સર્વેક્ષણ
મહીસાગર જિલ્લામાં નિપુણ ગુજરાત અભિયાન હેઠળ પ્રાથમિક શાળાઓમાં સર્વેક્ષણ
Published on: 09th August, 2026

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત નિપુણ ભારત મિશન હેઠળ મહીસાગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં Balvatika થી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓની વાંચન, લેખન અને સંખ્યાજ્ઞાનની ક્ષમતાઓ સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જિલ્લામાં બે દિવસીય સઘન બેઝલાઈન સર્વેક્ષણ ગુજરાતી અને ગણિત વિષય માટે પૂર્ણ થયું છે. પ્રત્યેક વિદ્યાર્થીની શૈક્ષણિક સ્થિતિ ટ્રેકરમાં નોંધવામાં આવી રહી છે. સર્વેક્ષણના આધારે ઉપચારાત્મક શિક્ષણ (Remedial Teaching) અસરકારક રીતે અપાઈ રહ્યું છે. મુખ્ય શિક્ષકો અને શિક્ષકોને બાયસેગ (BCEG) દ્વારા ઓનલાઇન તાલીમ પણ આપવામાં આવી છે.