મચ્છરના લાર્વા શોધવા ગયેલા BMC કર્મચારીનું ટાંકી પરથી પડી જતાં દુખદ મોત
મચ્છરના લાર્વા શોધવા ગયેલા BMC કર્મચારીનું ટાંકી પરથી પડી જતાં દુખદ મોત
Published on: 09th August, 2026

મુંબઈમાં ચોમાસામાં મચ્છરજન્ય રોગો અટકાવવા બીએમસી દ્વારા મચ્છરના ઉછેર સ્થળો શોધવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન દરમિયાન, નાયગાંવમાં પાણીની ટાંકીમાં લાર્વા તપાસવા ગયેલા જંતુનાશક વિભાગના કર્મચારી પાંડુરંગ ટોડકર (૪૭) સંતુલન ગુમાવતાં ટાંકી પરથી નીચે પટકાયા હતા. લોખંડના સળિયા જેવી વસ્તુઓ વાગતાં ગંભીર ઇજાઓ થતાં કેઈએમ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું દુખદ મોત થયું. આ ઘટનાથી કર્મચારીઓમાં રોષ ફેલાયો છે અને તેમની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.