મહેસાણાના મોઢેરા સૂર્યમંદિરના સાનિધ્યમાં ભાતીગળ અમાસનો મેળો યોજાયો
મહેસાણાના મોઢેરા સૂર્યમંદિરના સાનિધ્યમાં ભાતીગળ અમાસનો મેળો યોજાયો
Published on: 12th September, 2026

ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પટાંગણમાં શ્રાવણ મહિનાની અંતિમ અમાસે પરંપરાગત ભાતીગળ અમાસનો મેળો યોજાયો હતો. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અને મેળારસિકો ઉમટી પડતાં સમગ્ર મોઢેરા આસ્થા અને લોકમેળાના રંગે રંગાયું હતું. ભાવિકોએ સૌપ્રથમ રામકુંડમાં સ્નાન કરી શિવમંદિરોમાં દર્શન કર્યા હતા. મેળામાં આવેલા લોકોએ સૂર્યમંદિરની અદભૂત સ્થાપત્યકલા અને દિવાલો પર કંડારાયેલા પૌરાણિક પ્રસંગો નિહાળી ભારતીય સંસ્કૃતિનો પરિચય મેળવ્યો હતો. મોઢેરા ગ્રામ પંચાયત દ્વારા ભાવિકો માટે સફાઈ, પાણી અને પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હતી.