10 મિનિટ ડિલિવરી મોડેલ: અમદાવાદમાં બિનજરૂરી પેટ્રોલ વપરાશ.
10 મિનિટ ડિલિવરી મોડેલ, અમદાવાદમાં દરરોજ 4500 લિટર પેટ્રોલનો બિનજરૂરી વપરાશ અને 13 હજાર કિલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરે છે. આ ક્વિક કોમર્સ મોડેલ પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઉભો કરે છે. સ્માર્ટ કોમર્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) અપનાવવાની જરૂર છે.
10 મિનિટ ડિલિવરી મોડેલ: અમદાવાદમાં બિનજરૂરી પેટ્રોલ વપરાશ.
સ્વામિનારાયણ મંદિરમાં સંતનું ઊંઘની ગોળીઓ ખાઈ મૃત્યુ, તપાસની માંગ
સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મિશન મંદિરના સંત પ્રિયદર્શન સ્વામીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા હરિભક્તો અને સાધુ સમાજમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઊંઘની ગોળીઓ ખાઈ લેતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં લાંબી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે હવે ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે.
સ્વામિનારાયણ મંદિરમાં સંતનું ઊંઘની ગોળીઓ ખાઈ મૃત્યુ, તપાસની માંગ
અદાણી CNGના ભાવમાં ₹2.24નો વધારો!
ગુજરાતના વાહનચાલકો માટે ફરી એકવાર મોંઘવારીના માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ દ્વારા કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં પ્રતિ કિલો 2.24 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો આજ (16મી મે)થી જ અમલમાં આવી ગયો છે, જેના કારણે સામાન્ય જનતા અને મધ્યમ વર્ગના ખિસ્સા પર સીધો આર્થિક બોજ વધશે. નવા વધારા બાદ હવે અદાણી CNGનો ભાવ પ્રતિ કિલો 86.1 રૂપિયા પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે, છેલ્લા થોડા સમયથી અદાણી CNGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
અદાણી CNGના ભાવમાં ₹2.24નો વધારો!
ભારત-UAE વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલની ઐતિહાસિક ડીલ.
વડાપ્રધાન મોદીના UAE પ્રવાસ દરમિયાન 3 કરોડ (30 મિલિયન) બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોર કરવાની ઐતિહાસિક ડીલ થઈ છે. આ સમજૂતી ભારતીય ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવશે, જે ભવિષ્યની કટોકટીમાં મહિનાઓ સુધી મદદરૂપ થશે. LPG સપ્લાય અને ગેસ રિઝર્વ અંગે પણ સહમતી સધાઈ છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85 ટકા તેલ વિદેશથી આયાત કરે છે. ભવિષ્યમાં યુદ્ધ કે અન્ય કોઈ વૈશ્વિક કટોકટીના કારણે સપ્લાય અટકી ન જાય તે માટે ભારતે જમીનની નીચે વિશાળ પેટ્રોલિયમ રિઝર્વ બનાવ્યા છે.
ભારત-UAE વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલની ઐતિહાસિક ડીલ.
કાર ભાડે આપી ઠગાઈ: વેપારીની થાર ગાડી લઈ ગઠિયો ફરાર.
વડોદરામાં કાર ભાડે આપવાના નામે વિશ્વાસઘાતનો કિસ્સો સામે આવ્યો છે. ખોડિયારનગરના કપડા વેપારીની મહિન્દ્રા થાર ગાડી દમણ ફરવા જવાના બહાને ભાડે લઈ એક શખ્સ ફરાર થઈ ગયો. ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈ જયેશ પરમાર નામના વ્યક્તિએ ₹6500 દૈનિક લેખે બે દિવસ માટે ગાડી ભાડે લીધી. આધારકાર્ડ, લાઈસન્સ અને ચેક આપી વિશ્વાસ કેળવ્યો, પરંતુ ગાડી પરત ન કરી અને ફોન બંધ કરી દીધો. વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કાર ભાડે આપી ઠગાઈ: વેપારીની થાર ગાડી લઈ ગઠિયો ફરાર.
ITI પાસે ST બસ, કાર વચ્ચે ત્રિપલ અકસ્માત, 2 કારને નુકસાન, 1 ઇજાગ્રસ્ત.
સુરેન્દ્રનગરમાં ITI સામે ST બસ અને બે કાર વચ્ચે ત્રિપલ અકસ્માત થયો, જેમાં એક કારચાલક ઈજાગ્રસ્ત થયો. એક કાર ડિવાઈડર પર ચઢી ગઈ, બીજી કારની એરબેગ ખુલી ગઈ. અકસ્માત બાદ ટ્રાફિક જામ થયો, પોલીસે વાહનો હટાવી વાહનવ્યવહાર પુનઃ શરૂ કર્યો. બંને કાર પોલીસ મથકે લઈ જવાઈ.
ITI પાસે ST બસ, કાર વચ્ચે ત્રિપલ અકસ્માત, 2 કારને નુકસાન, 1 ઇજાગ્રસ્ત.
14 વર્ષે જંગલમાંથી 11 પિસ્તોલ, 65 કારતુસ સપ્લાયર ઝડપાયો.
સુરત ક્રાઇમ બ્રાન્ચને 2012ના હથિયાર સપ્લાય કેસમાં 14 વર્ષ બાદ મધ્યપ્રદેશના જંગલ વિસ્તારમાંથી મુખ્ય આરોપી કપ્તાનસીંગ બહાદુરસીંગ જુનેજા (સીકલીકર)ને ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે. તેણે 11 પિસ્તોલ અને 65 કારતુસ વેચ્યા હતા. આ નેટવર્ક વગરના દુર્ગમ વિસ્તારમાં છુપાઈ રહેતો હતો.
14 વર્ષે જંગલમાંથી 11 પિસ્તોલ, 65 કારતુસ સપ્લાયર ઝડપાયો.
સસ્પેન્ડેડ જજ સામે કન્ટેમ્પ્ટ કાર્યવાહીની ભલામણ, ખાતાકીય તપાસ શરૂ.
સસ્પેન્ડેડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ જી. આર. સોની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કાર્યવાહીની ભલામણ હાઇકોર્ટની ડિવિઝન બેંચે કરી છે. સિનિયર જજ પર નિયંત્રણ જેવા વિવાદાસ્પદ નિવેદનો બદલ આ કાર્યવાહીની ભલામણ કરાઈ છે. તેમની સામે આઉટસોર્સ્ડ ક્લાર્ક સાથે અયોગ્ય સંબંધ, નાણાકીય મદદ, CCTV કેમેરા બ્લોક કરાવવા અને કોર્ટ ચલાવવામાં નિષ્ફળતા જેવા આરોપો પણ છે. આ નિવેદનો ન્યાયતંત્રના ગૌરવને હાનિ પહોંચાડે છે, તેમ બેંચે જણાવ્યું.
સસ્પેન્ડેડ જજ સામે કન્ટેમ્પ્ટ કાર્યવાહીની ભલામણ, ખાતાકીય તપાસ શરૂ.
ATM સ્વેપિંગ કૌભાંડનો ભેદ ઉકેલાયો, રીઢો ઠગ તુષાર કોઠારી ઝડપાયો.
ભરૂચ LCB એ ATM સ્વેપિંગ કૌભાંડનો ભેદ ઉકેલી રીઢા ઠગ તુષાર કોઠારીની ધરપકડ કરી. આરોપી મોટી ઉંમરના લોકોને મદદના બહાને PIN જાણી ATM કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતો હતો. ₹7,400 નો મુદ્દામાલ કબજે કર્યો, જૂના કેસના સમાધાન અને ઓનલાઈન જુગારમાં વાપર્યા હોવાનું કબૂલ્યું. ગુજરાત અને મહારાષ્ટ્રમાં 47 ગુના નોંધાયેલા છે.
ATM સ્વેપિંગ કૌભાંડનો ભેદ ઉકેલાયો, રીઢો ઠગ તુષાર કોઠારી ઝડપાયો.
અમદાવાદ લાંચ કેસ: સબ રજિસ્ટ્રાર વતી ₹2.50 લાખ સ્વીકારતા આરોપીની જામીન અરજી નકારી.
રહેણાંક મકાનના દસ્તાવેજ માટે સબ રજિસ્ટ્રાર વતી ₹2.50 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયેલા આરોપી નરેન્દ્ર બોહરાની જામીન અરજી અમદાવાદ સેશન્સ કોર્ટે નકારી કાઢી છે. જજ બી. બી. જાદવે સરકારી વકીલની દલીલો માન્ય રાખી અરજી નામંજૂર કરી. જય ભીલ અને રાહીલ શેખે 35 હજાર રૂપિયા ઓનલાઇન લીધા હતા અને કુલ 2.50 લાખની માંગણી કરી હતી. ફરિયાદીની ACB સંપર્ક કરતા લાંચના છટકામાં આરોપીઓ રંગેહાથ પકડાયા હતા.
અમદાવાદ લાંચ કેસ: સબ રજિસ્ટ્રાર વતી ₹2.50 લાખ સ્વીકારતા આરોપીની જામીન અરજી નકારી.
યુનિવર્સિટીમાં નવી UG ઓનર્સ, રિસર્ચ બેઠકોની ભલામણ.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 હેઠળ FY UGP માં શૈક્ષણિક વર્ષ 2026-27 થી 60 UG ઓનર્સ બેઠકો શરૂ કરવાની ભલામણ કરાઈ છે. PhD ગાઈડ દીઠ 1 ઓનર્સ વિથ રિસર્ચ બેઠક પણ શરૂ કરાશે. PG ટીચર અને PhD ગાઈડશીપ માન્યતા અંગે પણ ચર્ચા થઈ.
યુનિવર્સિટીમાં નવી UG ઓનર્સ, રિસર્ચ બેઠકોની ભલામણ.
પાટણમાં GIS મેપિંગ પ્રોજેક્ટને મંજૂરી, 2027 સુધીમાં મહાનગરપાલિકા બનવા ડ્રોન સર્વે.
પાટણ નગરપાલિકાને 2027 સુધીમાં મહાનગરપાલિકા બનાવવા GUDM દ્વારા GIS અને MIS મેપિંગ પ્રોજેક્ટ શરૂ કરાશે. ડ્રોન સર્વે દ્વારા મિલકતો અને ભૂગર્ભ સુવિધાઓનું ડિજિટલ મેપિંગ થશે. AI અને ML ટેકનોલોજીનો ઉપયોગ કરીને સચોટ સંચાલન થશે. 18 મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ થશે, ત્યારબાદ 5 વર્ષ સુધી જાળવણી કરાશે.
પાટણમાં GIS મેપિંગ પ્રોજેક્ટને મંજૂરી, 2027 સુધીમાં મહાનગરપાલિકા બનવા ડ્રોન સર્વે.
હાઇકોર્ટે પત્નીની ભરણપોષણ અરજી નકારી, રાજકોટ ફેમિલી કોર્ટનો આદેશ માન્ય.
નેપાળ સુપ્રીમ કોર્ટનો ભારતવિરોધી આદેશ રોક્યો, બાલેન શાહ સરકારને ઝટકો.
વલસાડમાં લગ્નની લાલચ, દુષ્કર્મ, ગર્ભવતી પીડિતા, બીજી ફરિયાદ, ST SC સેલ તપાસ.
વલસાડમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ, પીડિતા ગર્ભવતી. આરોપી અબ્બાસ મકરાણી સામે બીજી ફરિયાદ. ST SC સેલ તપાસ કરી રહ્યું છે. પૈસા અને બાળકી બાબતે ઝઘડા બાદ આરોપીએ સંબંધ કાપી નાખ્યા. પીડિતા ફરી ગર્ભવતી છે. પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો.
વલસાડમાં લગ્નની લાલચ, દુષ્કર્મ, ગર્ભવતી પીડિતા, બીજી ફરિયાદ, ST SC સેલ તપાસ.
ભાડું ન ચૂકવી શકતા પિતાએ દીકરીનો સોદો કર્યો, મકાન માલિકે માતા-પુત્રી પર દુષ્કર્મ.
મોરબીમાં આર્થિક તંગીના કારણે પિતાએ દીકરીને મકાન માલિક સાથે સંબંધ બાંધવા મજબૂર કરી. મકાન માલિકે માતા અને સગીર પુત્રી પર પણ દુષ્કર્મ આચર્યું. માતાની ફરિયાદ બાદ પોલીસે પિતા અને મકાન માલિકની ધરપકડ કરી, એક સાગરીતની શોધખોળ ચાલુ છે. સમાજમાં ભારે ફીટકાર.
ભાડું ન ચૂકવી શકતા પિતાએ દીકરીનો સોદો કર્યો, મકાન માલિકે માતા-પુત્રી પર દુષ્કર્મ.
વાપી રેલવે પોલીસે શોધી કાઢ્યા જમ્મુ-કાશ્મીરના ગુમ થયેલા બે સગીર.
વાપી રેલવે પોલીસે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના બે સગીર બાળકોને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા અને તેમના પરિવારને સોંપ્યા. આ બાળકો વાપી રેલવે સ્ટેશન વિસ્તારમાંથી મળી આવ્યા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી, બાળકોના પિતાને વાપી બોલાવી તેમને સોંપ્યા. પિતાએ પોલીસનો આભાર માન્યો.
વાપી રેલવે પોલીસે શોધી કાઢ્યા જમ્મુ-કાશ્મીરના ગુમ થયેલા બે સગીર.
તડ-ભાડસી પાસે બે બાઈક અથડાયા, જૂનાગઢના બે યુવાનો ગંભીર રીતે ઘાયલ.
ઉના તાલુકાના તડ અને ભાડસી ગામ પાસે મોડી રાત્રે બે બાઈક સામસામે અથડાતા, જૂનાગઢના નિકુંજભાઈ અને આશિષભાઈ નામના બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા. રોડ પર ફંગોળાઈ જતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચી. 108 એમ્બ્યુલન્સ દ્વારા બંનેને ઉના હોસ્પિટલે ખસેડાયા. દીવથી જૂનાગઢ જતી વખતે અકસ્માત થયો. પોલીસે તપાસ હાથ ધરી.
તડ-ભાડસી પાસે બે બાઈક અથડાયા, જૂનાગઢના બે યુવાનો ગંભીર રીતે ઘાયલ.
ગુજરાતના આરોપીઓની જામીન અરજી નામંજૂર.
સોનામાં રૂ.3000, ચાંદીમાં રૂ.20,000નું ગાબડું.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૨૦ હજાર તૂટી ગયા હતા! વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૭૦૫થી ૪૭૦૬ ડોલરવાળા જે ગબડી નીચામાં ભાવ ૪૫૩૨ થઆ ૪૫૪૯થી ૪૫૫૦ ડોલર રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી જતાં વૈશ્વિક સોનામાં આજે ફંડોનું સેલીંગ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
સોનામાં રૂ.3000, ચાંદીમાં રૂ.20,000નું ગાબડું.
વલસાડમાં બેફામ કારે 4 વાહનોને અડફેટે લીધા.
વલસાડના કૈલાસ રોડ પર એક બેફામ કારે 4 વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટના મોડી રાત્રે બની હતી. કાર ચાલકે અકસ્માત સર્જ્યા બાદ જવાબદારી સ્વીકારવાને બદલે નજીકમાં જ આવેલા પોતાના ઘરમાં જઈને છુપાઈ ગયો હતો. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કારની સ્પીડ સ્પષ્ટ દેખાય છે. સ્થાનિક લોકોએ કાર ચાલકના ઘરને ઘેરી લીધું હતું અને તેની સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.
વલસાડમાં બેફામ કારે 4 વાહનોને અડફેટે લીધા.
અમદાવાદ: તાપમાન ઘટશે, પણ ઉકળાટ અને બફારો યથાવત રહેશે.
ઇંધણના ભાવમાં મર્યાદિત વધારાથી ઘરગથ્થુ બજેટ પર ખાસ અસર નહીં પડે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે, ક્રૂડ ઓઇલના ભાવ સતત ૧૦૦ ડોલર પ્રતિ બેરલથી ઉપર રહ્યા છે. આ દબાણ વચ્ચે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૩ નો વધારો કર્યો છે. વૈશ્વિક તેલના ભાવમાં વધારો અને સતત નુકસાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય જરૂરી માનવામાં આવ્યો હતો. જો કે, આ વધારો હાલમાં મર્યાદિત છે અને કંપનીઓને ફક્ત થોડી રાહત આપશે.
ઇંધણના ભાવમાં મર્યાદિત વધારાથી ઘરગથ્થુ બજેટ પર ખાસ અસર નહીં પડે.
ભાવનગરમાં ગરમીના યલો એલર્ટ વચ્ચે તાપમાન 05.02 ડિગ્રી ઘટયું
ભાવનગરમાં ગુરૂવારે એક દસકની રેકોર્ડબ્રેક કરનારી ગરમી પડયાં બાદ સૂર્યનારાયણે હળવા પડી કાળઝાળ ગરમીમાં શેકાયેલા નગરજનોને રાહત આપી હતી. આજે શુક્રવારે ગરમીના યલો એલર્ટ વચ્ચે મહત્તમ તાપમાન ૦૬.૦૨ ડિગ્રી ગગડી જતાં આઠ દિવસ બાદ પ્રથમ વખત ગરમીનો પારો ૪૦ ડિગ્રીની નીચે પહોંચ્યો હતો.
ભાવનગરમાં ગરમીના યલો એલર્ટ વચ્ચે તાપમાન 05.02 ડિગ્રી ઘટયું
ખાંડ નિકાસ પર અચાનક પ્રતિબંધ, ઉદ્યોગમાં ચિંતા.
૩૦ સપ્ટેમ્બર સુધી ખાંડની નિકાસ પર સરકારે અચાનક પ્રતિબંધ મૂકતા ખાંડ ક્ષેત્ર આશ્ચર્યચકિત થયું છે. ૧.૫ મિલિયન ટનમાંથી ૫૦૦,૦૦૦ ટનની વધારાની નિકાસ મંજૂરી પછી આ નિર્ણય આવ્યો. સ્થાનિક ભાવ નિયંત્રણ અને ઉપલબ્ધતા માટે નિર્ણય લેવાયો, પરંતુ લાંબા ગાળે ખેડૂતોને નુકસાનની આશંકા. કેટલાક માને છે કે આનાથી ભાવ નિયંત્રિત નહીં થાય.
ખાંડ નિકાસ પર અચાનક પ્રતિબંધ, ઉદ્યોગમાં ચિંતા.
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે.
સોના-ચાંદી પરની આયાત ડયૂટીમાં વધારો કર્યા બાદ સરકારે સોનાની આયાત પર વધુ અંકૂશ મૂકવાના ભાગરૂપ એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત મર્યાદા ૧૦૦ કી. ગ્રા. કરવાના નિર્ણયથી આર્બિટ્રેજ ટ્રેડિંગ પર અંકૂશ આવશે અને ફોરેકસ પરનું દબાણ પણ હળવું થશે એમ બજારના સુત્રો માની રહ્યા છે. આ નિર્ણયને કારણે ડયૂટી ફ્રી આયાતના થતા કથિત દૂરુપયોગમાં ઘટાડો થશે.મર્યાદા લાગુ કરાવાને કારણે સોનાની વધુ પડતી આયાત અટકશે અને સત્તાવાળા માટે આવા પ્રકારની આયાત પર દેખરેખ રાખવાનું સરળ બનશે.
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે.
રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા.
ભારતીય રિઝર્વ બેંકે દેશમાં એનબીએફસી પર પોતાની પકડ વધુ કડક બનાવી છે, એક જ ઝાટકે ૧૫૦ એનબીએફસીના નોંધણી પ્રમાણપત્રો રદ કર્યા છે. કેન્દ્રીય બેંક દ્વારા આ કડક કાર્યવાહી RBI અધિનિયમ, ૧૯૩૪ ની કલમ ૪૫-IA (૬) હેઠળ કરવામાં આવી છે.આ કાર્યવાહીનો અર્થ એ છે કે આ કંપનીઓ હવે કોઈપણ નાણાકીય વ્યવસાય અથવા ધિરાણ વ્યવસાય કરી શકશે નહીં. વધુમાં, સાત અન્ય કંપનીઓએ સ્વેચ્છાએ તેમના લાઇસન્સ પરત કર્યા છે. આ પછી, તેમના નોંધણી પણ રદ કરવામાં આવ્યા હતા.