જનતાનો મિજાજ ગરમ: સરસપુરમાં યુવકે ભાજપ કાર્યકરને લાફા ઝીંકી દીધા, હાથીજણમાં પણ ઉગ્ર વિરોધ
જનતાનો મિજાજ ગરમ: સરસપુરમાં યુવકે ભાજપ કાર્યકરને લાફા ઝીંકી દીધા, હાથીજણમાં પણ ઉગ્ર વિરોધ
Published on: 22nd April, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પ્રચારમાં રાજકીય પક્ષોને જનતાના ઉગ્ર આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. સરસપુરની અશોક મિલની ચાલીમાં વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નોને કારણે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. અહીં પ્રચાર કરવા ગયેલા ભાજપના કાર્યકર ધીરજભાઈ રાઠોડ સાથે સ્થાનિક રહીશ હસમુખ વોરાએ ઝઘડો કરી તેમને લાફા ઝીંકી દીધા હતા અને નીચે પાડી દીધા હતા. વણઉકેલ્યા પ્રશ્નો અને નેતાઓની ગેરહાજરીને કારણે શહેરમાં અનેક જગ્યાએ ઉમેદવારોને પ્રવેશવા માટે પ્રતિબંધો અને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.