બંગાળમાં ‘મત્સ્યવેધ’: માછલી મુદ્દે મમતા બેનરજી અને PM મોદી આમને-સામને
બંગાળમાં ‘મત્સ્યવેધ’: માછલી મુદ્દે મમતા બેનરજી અને PM મોદી આમને-સામને
Published on: 22nd April, 2026

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવા માટે બંગાળી જીવનશૈલી અને સંસ્કૃતિના પાયાની ચીજ એવી 'માછલી'ને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવ્યો છે. TMCના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ બંગાળી જીવનશૈલી અને સંસ્કૃતિ માટે ખતરો છે. મચ્છી-ભાત સાથે કોઈ સમજૂતી નહીં થાય. ભાજપ તમને માછલી ખાવા દેશે નહીં. ભાજપ તમને ઈંડા અને માંસ પણ ખાવા દેશે નહીં. બંગાળ માછલી-ભાત પર નિર્ભર છે. જો આપણે એ નહીં ખાઈએ તો શું ખાશું?