દાહોદની ઝાલોદ મુવાડા પ્રાથમિક શાળામાં ગુરુ વંદન કાર્યક્રમ
દાહોદની ઝાલોદ મુવાડા પ્રાથમિક શાળામાં ગુરુ વંદન કાર્યક્રમ
Published on: 09th August, 2026

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની મુવાડા પ્રાથમિક શાળામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈ. મહાસંઘ દ્વારા ગુરુ વંદન કાર્યક્રમનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં આશરે 400 જેટલા શિક્ષકો જોડાયા હતા. મામલતદાર એસ.એમ. પરમાર અને 108 મહંત શ્રી દલસુખદાસજી મહારાજ મુખ્ય અતિથિ હતા. પંચમહાલ વિભાગના સંઘ ચાલક સુરેશભાઈ ભાવસાર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. અનેક મહાનુભાવોએ ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કર્યો.