ગુજરાતમાં શાળાઓના મૂલ્યાંકન માટે 'SQAAF' અમલી
ગુજરાતમાં શાળાઓના મૂલ્યાંકન માટે 'SQAAF' અમલી
Published on: 03rd August, 2026

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ ગુજરાતમાં શાળાઓના સર્વગ્રાહી અને પારદર્શી મૂલ્યાંકન માટે 'સ્કૂલ ક્વૉલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક' (SQAAF) અમલમાં મુકાયું છે. GCERT દ્વારા 5 ઓગસ્ટે BISAG-N પર ઓનલાઈન તાલીમ યોજાશે. ગુણોત્સવ 2.0 હવે SQAAFના NCERT આધારિત માપદંડો મુજબ થશે. શૈક્ષણિક વર્ષ 2026-27થી તમામ શાળાઓમાં આ માળખું લાગુ થશે, જે 6 ક્ષેત્રો અને 211 માપદંડો પર ગ્રેડિંગ કરશે. જોકે, સ્વ-મૂલ્યાંકનની પારદર્શિતા અને બાહ્ય મૂલ્યાંકનના અભાવે તેની અસરકારકતા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.