સુરતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભાઓને એક્સપાયર્ડ કઠોળનું વિતરણ
સુરતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભાઓને એક્સપાયર્ડ કઠોળનું વિતરણ
Published on: 03rd August, 2026

સુરતના પાંડેસરા વિસ્તારમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ કરવા માટે મોકલાયેલો કઠોળનો જથ્થો એક્સપાયરી ડેટ પૂરી થઈ ગયેલો હોવાનું સામે આવ્યું છે. આંગણવાડી કાર્યકરોની તપાસમાં આ ગંભીર બેદરકારી બહાર આવતાં આરોગ્ય સાથે ખીલવાડ થતો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. 25થી વધુ આંગણવાડીઓમાં 'ભેરુ ભવાની માર્કેટિંગ યુનિટ' માંથી તુવેર દાળ અને ચણા સહિતનો રાશનનો જથ્થો સપ્લાય કરાયો હતો, જે એક્સપાયર્ડ હતો. વેપારીના દાવા મુજબ, સરકારી ગોડાઉનમાંથી જ આવો માલ મોકલાય છે અને અધિકારીઓ તેને પરત લેવાનો ઇનકાર કરે છે.