ખેરાલુમાં જનહિતના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું
ખેરાલુમાં જનહિતના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું
Published on: 07th June, 2026

ખેરાલુ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિએ વિદ્યાર્થીઓ, ખેડૂતો અને સામાન્ય જનતાના ગંભીર પ્રશ્નો અંગે રાજ્યપાલને સંબોધીને મામલતદાર કચેરી ખાતે વિસ્તૃત આવેદનપત્ર સુપ્રત કર્યું. NEET સહિતની પરીક્ષાઓના પેપર લીક, દૂધસાગર ડેરી અને મહેસાણા સંઘ દ્વારા પશુ દાણના ભાવમાં થયેલો વધારો, અને ટેકાના ભાવે ખરીદીમાં વિલંબ જેવા મુદ્દાઓ પર ધ્યાન દોરી કડક કાર્યવાહીની માંગ કરાઈ. રાંધણ ગેસ, ડીઝલ, પેટ્રોલ, CNGના ભાવવધારાથી સામાન્ય માણસ પર પડેલી અસર વિશે પણ રજૂઆત કરાઈ.