મુખ્ય શિક્ષકોને ચાર્જ સોંપવાના નિયમોમાં મોટો ફેરફાર.
મુખ્ય શિક્ષકોને ચાર્જ સોંપવાના નિયમોમાં મોટો ફેરફાર.
Published on: 07th June, 2026

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના વહીવટને વધુ મજબૂત બનાવવા માટે નવો પરિપત્ર જાહેર થયો છે. અગાઉના પરિપત્રમાં કેટલીક ખામીઓ અને વિસંગતતાઓને સુધારવા જૂનો પરિપત્ર રદ કરીને નવા નીતિ-નિયમો લાગુ કરાયા છે. જે શાળાઓમાં HTAT પાસ મુખ્યશિક્ષકની મંજૂર જગ્યાઓ નથી, ત્યાં વહીવટી કામગીરી માટે સ્પષ્ટ ગાઇડલાઇન અપાઈ છે. શાળાના સૌથી વરિષ્ઠ અને અનુભવી શિક્ષકને જ કાર્યભાર સોંપાશે. 15 કિલોમીટરની ત્રિજ્યાનો નવો નિયમ નક્કી કરાયો છે. બે શાળાઓનો ચાર્જ સંભાળતા શિક્ષકો માટે ખાસ સમયપત્રક પણ તૈયાર કરાયું છે.