રાજકોટ સ્થિત કસ્તુરબા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ જોશીને ‘બેસ્ટ આચાર્ય’ એવોર્ડ
રાજકોટ સ્થિત કસ્તુરબા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ જોશીને ‘બેસ્ટ આચાર્ય’ એવોર્ડ
Published on: 14th September, 2026

રાજકોટની કસ્તુરબા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ જાનકીબેન જોશીને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ‘National Builder Award’ હેઠળ શ્રેષ્ઠ આચાર્યના એવોર્ડથી સન્માનિત કરાયા. નિયો ક્લબ અને રોટરી ક્લબ ઓફ મીડટાઉન રાજકોટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મેયર ડો.નેહલ શુક્લ અને ઋષભ રૂપાણીની ઉપસ્થિતિ રહી. ત્રણ વર્ષમાં, જાનકીબેન જોશીએ ગ્રાન્ટેડ હાઇસ્કૂલમાં ખાનગી શાળાઓ જેવી સુવિધાઓ પૂરી પાડી છે. ધો.9થી 12ના વર્ગોમાં અગાઉ ખાલી રહેતી સંખ્યાની જગ્યાએ આજે એડમિશન માટે વેઇટિંગ છે. બોર્ડ પરિણામ 96% સુધી પહોંચાડવા, NSS, વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ અને નિયમિત પેરેન્ટ્સ-ટીચર્સ મિટિંગ થકી વાલીઓનો વિશ્વાસ જીત્યો.