ગિરનાર સીડી પર સિંહે 11 વર્ષના બાળકને ફાડી ખાધો
ગિરનાર સીડી પર સિંહે 11 વર્ષના બાળકને ફાડી ખાધો
Published on: 12th July, 2026

જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે દર્શન કરવા આવેલા પરિવારના 11 વર્ષના બાળક પર સિંહે હુમલો કરી તેને ખેંચી જતાં તેનું મોત થયું. વન વિભાગ, પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. શોધખોળ બાદ બાળકનો મૃતદેહ કબજે લેવાયો. મૃતકના પરિવારને ₹10 લાખની સહાય જાહેર કરાઈ છે. સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ વધારાયું છે. આ ઘટના બાદ ગિરનાર યાત્રામાર્ગ પર સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉભા થયા છે. વન વિભાગે યાત્રાળુઓને સાવચેતી રાખવા અપીલ કરી છે. છેલ્લા એક મહિનામાં 8 લોકોએ વન્યપ્રાણીઓનો ભોગ બન્યા છે.