વ્યસનીઓના ખુલાસા: મિત્રોનું દબાણ, મોજ-શોખ અને માનસિક ટેન્શન જ લતનું કારણ બન્યાં
વ્યસનીઓના ખુલાસા: મિત્રોનું દબાણ, મોજ-શોખ અને માનસિક ટેન્શન જ લતનું કારણ બન્યાં
Published on: 11th July, 2026

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના વ્યસનમુક્તિ વોર્ડમાં દર્દીઓ માટે ગ્રુપ કાઉન્સિલિંગ સેશન યોજાયું. આ સેશનમાં દર્દીઓએ જણાવ્યું કે મિત્રોનું દબાણ, મોજ-શોખ અને માનસિક ટેન્શન તેમને વ્યસન તરફ દોરી ગયા. સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે કહ્યું કે, ડિસ્ચાર્જ પછીના હાઈ-રિસ્ક ટ્રીગર પોઈન્ટ્સની ઓળખ કરી, તણાવમાં નશો ન કરવા અને નકારાત્મક મિત્રોથી દૂર રહેવાની સૂચના અપાઈ. સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખવી મનોબળ મજબૂત કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. વ્યસન એક બીમારી છે, જેની વૈજ્ઞાનિક સારવાર જરૂરી છે.