નેપાળમાં ભયાનક પૂર: ત્રિશૂલી ટનલમાં ફસાયેલા 63 ભારતીયો સહિત 350નો બચાવ
નેપાળમાં ભયાનક પૂર: ત્રિશૂલી ટનલમાં ફસાયેલા 63 ભારતીયો સહિત 350નો બચાવ
Published on: 28th August, 2026

નેપાળમાં ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂર અને કુદરતી હોનારત વચ્ચે, નેપાળી સેનાએ રસુવા જિલ્લાના અપર ત્રિશૂલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા 350 શ્રમિકો અને સ્થાનિક ગ્રામજનોને સફળતાપૂર્વક બચાવી લીધા છે. આ બચાવેલા લોકોમાં 63 ભારતીય નાગરિકો પણ સામેલ છે, જેમના પરિવારો ચિંતિત હતા. અત્યંત જોખમી અને ખરાબ હવામાન વચ્ચે પણ સેનાના સાહસિક જવાનોએ આ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું. આ આપત્તિમાં 500થી વધુ લોકોના મોત થયા છે અને અનેક માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે.