કોથમીરના ભાવમાં ભારે ઘટાડો: ખેડૂતોને ઉકરડામાં ફેંકવાનો વારો
કોથમીરના ભાવમાં ભારે ઘટાડો: ખેડૂતોને ઉકરડામાં ફેંકવાનો વારો
Published on: 29th August, 2026

નવી મુંબઇની એપીએમસી (APMC) માર્કેટમાં કોથમીરના ભાવ તળીયે બેસી ગયા છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે. અઠવાડિયામાં ભાવ ૨૫ ટકા ઘટ્યા બાદ, પુણે અને લાતૂર જેવા વિસ્તારોમાંથી ૧૨૧ ટન કોથમીરની આવક થતાં જૂડીનો ભાવ માત્ર બે થી છ રૂપિયા સુધી પહોંચી ગયો છે. પુષ્કળ આવક સામે ઓછો ઉપાડ હોવાથી ભાવમાં આટલો ઘટાડો થયો છે. આ સ્થિતિમાં, વેચાયા વિના પડેલા અને ભીંજાવાથી બગડી ગયેલા કોથમીરના ઢગલાને ઉકરડામાં ફેંકવાનો વારો આવ્યો છે.