અંધેરીના ડો. ચિતલે દંપત્તિ સહિત ૬૧ લોકોના હિમાલયમાં ગુમ થવાથી ચિંતા
અંધેરીના ડો. ચિતલે દંપત્તિ સહિત ૬૧ લોકોના હિમાલયમાં ગુમ થવાથી ચિંતા
Published on: 29th August, 2026

મુંબઈના અંધેરી સ્થિત ફિઝિશિયન ડો. મિલિંદ ચિતલે, તેમની પત્ની ડો. મેઘા ચિતલે અને તેમના ગ્રુપના ૬૧ પ્રવાસીઓ હિમાલય ક્ષેત્રમાં ગુમ થયા છે. આ ગ્રુપમાં પાંચ અન્ય ડોક્ટરો પણ સામેલ છે, જેમાં ડો. આનંદ દેશપાંડે, ડો. ગાયત્રી દેશપાંડે અને ડો. મીનાક્ષી રામાણીનો સમાવેશ થાય છે. ડો. ચિતલેને પર્વતારોહણનો દાયકાઓનો અનુભવ છે અને તેઓ પર્વતીય વિસ્તારોમાં તબીબી તકલીફોના દેશના નિષ્ણાત ડોક્ટરોમાંના એક છે. આ ઘટનાથી મુંબઈના તબીબી અને પર્વતારોહક વર્તુળોમાં ભારે ચિંતા વ્યાપી છે.