બિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એલાયન્સ એરના વિમાનનું ટાયર ફાટયું
બિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એલાયન્સ એરના વિમાનનું ટાયર ફાટયું
Published on: 29th August, 2026

છત્તીસગઢના બિલાસપુર એરપોર્ટ પર દિલ્હીથી આવેલી એલાયન્સ એરના વિમાનનું લેન્ડિંગ વખતે ટાયર ફાટ્યું. વિમાનમાં ૩૭ પ્રવાસીઓ અને ૪ ક્રૂ સભ્યો સહિત કુલ ૪૧ લોકો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. ટાયર ફાટ્યા બાદ તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી અને તમામ મુસાફરોને ટર્મિનલ સુધી પહોંચાડવામાં આવ્યા. આ બનાવને કારણે બિલાસપુરથી પ્રયાગરાજ જનારી ફ્લાઇટ રદ કરવામાં આવી. વિમાનની ટેકનિકલ તપાસ ચાલી રહી છે.