બહુચરાજી તીર્થધામનો પાવાગઢ-અંબાજી જેવો વિકાસ
બહુચરાજી તીર્થધામનો પાવાગઢ-અંબાજી જેવો વિકાસ
Published on: 29th August, 2026

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ₹76.51 કરોડના ખર્ચે બહુચરાજી માતાજી મંદિરના પુનઃનિર્માણ અને સર્વાંગી વિકાસની કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટના પ્રથમ ફેઝનું 60% કામ પૂર્ણ થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 39 તીર્થોના જળ અને 7 સ્તરની માટીથી ભૂમિ શુદ્ધિકરણ સાથે ખાતમુહૂર્ત કર્યું હતું. સોમનાથ, દ્વારકા, પાવાગઢ અને અંબાજીની જેમ બહુચરાજી ધામનો પણ વૈશ્વિક સ્તરનો વિકાસ કરાશે. બંસી પહાડપુરના લાલ પથ્થરથી 86.1 ફૂટ ઊંચા શિખરનું નિર્માણ થશે. બીજા ફેઝમાં 500 મીટર પરિસર અને બાંધલિયા તળાવનું બ્યુટિફિકેશન કરાશે.