દાહોદ વન વિભાગના કર્મચારીઓને મોટરસાઇકલ ફાળવી, વન સંરક્ષણ કાર્યને મળશે વેગ
દાહોદ વન વિભાગના કર્મચારીઓને મોટરસાઇકલ ફાળવી, વન સંરક્ષણ કાર્યને મળશે વેગ
Published on: 31st July, 2026

રાજ્ય સરકાર દ્વારા વન સંરક્ષણ અને વન્યજીવ સુરક્ષાને મજબૂત કરવાના પ્રયાસોના ભાગરૂપે, દાહોદ વન વિભાગના કર્મચારીઓને મોટરસાઇકલની ફાળવણી કરવામાં આવી છે. દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે આ બાઈકને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ વાહન સુવિધાથી જંગલ વિસ્તારોમાં પેટ્રોલિંગ, વન્યજીવ સંરક્ષણ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ અને આપત્તિ સમયે ઝડપી પ્રતિભાવ આપવામાં મદદ મળશે. આધુનિક સુવિધાઓ દ્વારા વન સંપદાના સંરક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.