રાણાવાવ તાલુકાની મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું
રાણાવાવ તાલુકાની મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું
Published on: 31st July, 2026

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા રાણાવાવ તાલુકાની મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપવામાં આવી. જેમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ વિશે જાણકારી અપાઈ. તજજ્ઞોએ અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણ અર્ક જેવા પ્રાકૃતિક અસ્ત્રોના ઉપયોગ, વિવિધ પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાની રીત સમજાવી. ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડી જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ વધારવા પ્રોત્સાહન અપાયું.