કર્ણાટકના મંત્રી બી. નાગેન્દ્રનું 25 દિવસમાં રાજીનામું
કર્ણાટકના મંત્રી બી. નાગેન્દ્રનું 25 દિવસમાં રાજીનામું
Published on: 28th August, 2026

કર્ણાટકના મંત્રી બી. નાગેન્દ્રએ કર્ણાટક મહર્ષિ વાલ્મીકિ અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ કૌભાંડના આરોપો વચ્ચે મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. પુનઃ મંત્રી બન્યાના માત્ર 25 દિવસમાં જ વિપક્ષના ભારે દબાણ બાદ તેમણે આ નિર્ણય લીધો. રાજીનામું આપતી વખતે બી. નાગેન્દ્ર (B. Nagendra) રડતાં-રડતાં કહ્યું કે, 'મને માત્ર એટલા માટે નિશાન બનાવવામાં આવી રહ્યો છે કારણ કે હું દલિત વર્ગમાંથી આવું છું.' તેમણે કહ્યું કે નિગમના કોઈ વ્યવહારમાં તેમની સહી નથી. તેમણે બેંકો અને કેન્દ્રીય નાણાં મંત્રી પર પણ સવાલો ઉઠાવ્યા. આ સમગ્ર કૌભાંડ 89.63 કરોડ રૂપિયાના ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર સાથે જોડાયેલું છે.