શું સોનિયા ગાંધીની ઓટોબાયોગ્રાફી ભારતમાં નહીં છપાય?
શું સોનિયા ગાંધીની ઓટોબાયોગ્રાફી ભારતમાં નહીં છપાય?
Published on: 28th August, 2026

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી ના પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'ને લઈને વિવાદ સર્જાયો છે. Penguin Random House India એ સ્પષ્ટતા કરી કે તેઓ ભારતમાં આ પુસ્તકના પ્રકાશક નથી. થોડા અઠવાડિયા પહેલા અમેરિકન પ્રકાશક Alfred A. Knopf એ 10 નવેમ્બરે પુસ્તક રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. એવા અહેવાલો હતા કે Sonia Gandhi એ પુસ્તકમાં ફેરફાર કરવાનો ઇનકાર કરતાં પ્રકાશકે હાથ પાછળ ખેંચી લીધા, જોકે પબ્લિશરે આ દાવાને ખોટો ગણાવ્યો છે. ભારતમાં પુસ્તકનું વિતરણ કોણ કરશે તે હજુ નક્કી નથી, પરંતુ Amazon પર તેની ઈ-બુક પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે.