જામનગર-લાલપુર રોડ પર ગમખ્વાર અકસ્માત
જામનગર-લાલપુર રોડ પર ગમખ્વાર અકસ્માત
Published on: 01st September, 2026

જામનગર નજીક લાલપુર-દરેડ રોડ પર એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો. પૂરઝડપે અને બેફિકરાઈથી ચાલતી કિયા કારે ડિવાઇડર કૂદાવી રોંગ સાઇડમાં જઈ સીએનજી રિક્ષા અને મોટરસાઇકલને હડફેટે લીધી હતી. આ દુર્ઘટનામાં ગુલાબચંદ ઉર્ફે બાબુભાઈ મોખરા, નોમાન હારૂનભાઈ સમા અને નવીન શકુરભાઈ પઠાણનું મોત થયું. મૃતક ગુલાબચંદના પુત્રની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.