રામલીલા મેદાનના શુદ્ધિકરણ મામલે ખડગે રાજ્યસભામાં ભડક્યા
રામલીલા મેદાનના શુદ્ધિકરણ મામલે ખડગે રાજ્યસભામાં ભડક્યા
Published on: 13th August, 2026

હલ્દવાનીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ થયેલા 'શુદ્ધિકરણ' યજ્ઞનો વિવાદ હવે રાજ્યસભા સુધી પહોંચ્યો છે. ખડગેએ જણાવ્યું કે, મંચના શુદ્ધિકરણ દ્વારા મારું અને સમાજનું અપમાન થયું છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે, ભાજપ આવી માનસિકતાનું સમર્થન કરતું નથી. રાજ્યસભાના સભાપતિએ પણ આધુનિક ભારતમાં ભેદભાવ માટે સ્થાન નથી તેમ કહી દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી. શુદ્ધિકરણ કરનાર સંગઠનનો દાવો છે કે, કોઈ અપમાનનો હેતુ નહોતો, પરંતુ પવિત્રતા જાળવવા શુદ્ધિકરણ કરાયું.