એનાલોગ પનીર પર પ્રતિબંધ: જાણો કેવી રીતે બને છે અને સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
એનાલોગ પનીર પર પ્રતિબંધ: જાણો કેવી રીતે બને છે અને સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
Published on: 06th August, 2026

ભારતીય ભોજનનો અભિન્ન અંગ ગણાતા પનીરના વેચાણ પર પ્રતિબંધની ચર્ચા ચાલી રહી છે. એનાલોગ પનીર (Analogue Paneer) દેખાવ અને સ્વાદમાં અસલી પનીર જેવું લાગે છે, પરંતુ તે દૂધમાંથી બનતું નથી. તેમાં વનસ્પતિ તેલ, મિલ્ક પાવડર, સ્ટાર્ચ અને અન્ય ઘટકોનો ઉપયોગ થાય છે. ખર્ચ ઘટાડવા રેસ્ટોરન્ટ્સમાં તેનો ઉપયોગ થાય છે. જોકે, તેમાં વપરાતી સામગ્રીના આધારે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ખરીદતી વખતે લેબલ વાંચવું જરૂરી છે.