વિશ્વ ઓઝોન દિવસ: ઓઝોન સ્તર 220 DU થી નીચે જશે તો...
વિશ્વ ઓઝોન દિવસ: ઓઝોન સ્તર 220 DU થી નીચે જશે તો...
Published on: 16th September, 2026

પૃથ્વીની જીવસૃષ્ટિનું અસ્તિત્વ વાતાવરણના સંતુલન પર નિર્ભર છે. સમતાપ મંડળનું ઓઝોન સ્તર સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણો સામે કુદરતી છત્રી સમાન છે. 16 સપ્ટેમ્બરના વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર માટે રાહતરૂપ સમાચાર છે. NASAના ડેટા મુજબ, છેલ્લા 10 વર્ષમાં ઓઝોન સ્તર 258 DU થી 267 DU વચ્ચે સુરક્ષિત રહ્યું છે. 2020ના લોકડાઉન બાદ પ્રદૂષણમાં ઘટાડો થતાં ઓઝોન સ્તરમાં સુધારો થયો છે. જોકે, 43.3°C થી 45.8°C વચ્ચેનું ઊંચું તાપમાન શહેરીકરણ અને વનસ્પતિ ઘટાડા જેવા પરિબળો સૂચવે છે. પર્યાવરણીય સંતુલન માટે વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તિ જરૂરી છે.