ગુજરાતની સરકારી કચેરીઓમાં સોમ-મંગળ મીટિંગ નહીં
ગુજરાતની સરકારી કચેરીઓમાં સોમ-મંગળ મીટિંગ નહીં
Published on: 14th September, 2026

રાજ્યની સચિવાલય સહિત તમામ સરકારી કચેરીઓમાં અઠવાડિયાના પ્રથમ બે દિવસ, સોમવાર અને મંગળવાર, કોઈ પણ મીટિંગ કે કાર્યક્રમોનું આયોજન નહીં કરવા આદેશ અપાયો છે. આ દિવસો સંપૂર્ણપણે સામાન્ય જનતા અને લોકપ્રતિનિધિઓની રજૂઆતો સાંભળવા તથા તેમના પ્રશ્નોના ઉકેલ માટે અનામત રહેશે. અગાઉ પણ આવા પરિપત્રો છતાં અમલ ન થતાં, આ નવો પરિપત્ર કેટલો કારગર નીવડશે તે ચર્ચાનો વિષય છે. દૂર-દૂરથી આવતા નાગરિકોને 'સાહેબ મીટિંગમાં છે' તેવો જવાબ મળવાની ફરિયાદો બાદ આ નિર્ણય લેવાયો છે.