ખેડા ગામમાં ચૂંટણી હાર બાદ સોલાર લાઈટના 12 પોલ ઉખેડાયા.
ખેડા ગામમાં ચૂંટણી હાર બાદ સોલાર લાઈટના 12 પોલ ઉખેડાયા.
Published on: 02nd May, 2026

ઝાલોદ તાલુકાના ખેડા ગામમાં ભાજપના ઉમેદવાર ચૂંટણી હારી જતા, ઉશ્કેરાયેલા કાર્યકરોએ સરકારી ખર્ચે લગાવવામાં આવેલા 12 સોલાર લાઈટના પોલ રાતોરાત પાયામાંથી ઉખેડી લીધા હોવાનો આક્ષેપ છે. આ ઘટનાથી લોકશાહીના નિર્ણયોનો અનાદર અને જનતાની સુખાકારી છીનવી લેવાની વૃત્તિ પર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે હાર સ્વીકારી ન શકનારા કાર્યકરોએ આ કૃત્ય કર્યું હતું અને પોલ વાહનોમાં ભરીને લઈ ગયા હતા. જાહેર મિલકતની આ તોડફોડ અને લૂંટના વિરોધમાં ગ્રામજનોમાં ભારે આક્રોશ છે.