પર્યુષણ પર્વ દરમિયાન જીવહિંસા રોકવા જૈન સમાજની કલેક્ટરને રજૂઆત
પર્યુષણ પર્વ દરમિયાન જીવહિંસા રોકવા જૈન સમાજની કલેક્ટરને રજૂઆત
Published on: 04th September, 2026

પવિત્ર પર્યુષણ પર્વની ઉજવણી દરમિયાન જીવહિંસા અટકાવવા અને ધાર્મિક વાતાવરણ જાળવવા માટે જૈન સમાજે પાટણ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું. પાટણ પાંજરાપોળના માનદ મંત્રી ધીરુભાઈ શાહ અને સંજયભાઈ મોદીએ નિવાસી અધિક કલેક્ટર મેહુલકુમાર બરાસરાને મળીને અબોલ જીવોની રક્ષા માટે ગુહાર લગાવી. 8 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ચાલનારા આ પવિત્ર દિવસોમાં તમામ કતલખાના, મટનની દુકાનો અને ઈંડાની લારીઓ બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. જૈન ધર્મના 'જીવો અને જીવવા દો'ના સિદ્ધાંતને અનુસરીને, તંત્ર દ્વારા તાત્કાલિક જાહેરનામું બહાર પાડવાની માંગ કરાઈ છે.