પાટણમાં પર્યુષણ પર્વ નિમિત્તે કતલખાના બંધ રાખવા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ
પાટણમાં પર્યુષણ પર્વ નિમિત્તે કતલખાના બંધ રાખવા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ
Published on: 04th September, 2026

પાટણમાં પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના અને માંસ-મટન-ઇંડાની દુકાનો બંધ રાખવા ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય શાહ ધીરજલાલ પુનમચંદ દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જૈન સમાજની ધાર્મિક લાગણી અને અહિંસાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી કાયદેસર કે ગેરકાયદેસર રીતે ચાલતા તમામ કતલખાના તેમજ માંસ-મટન અને ઇંડાની દુકાનો 9 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી બંધ રાખવા અને તેનો કડક અમલ કરાવવાની માંગ કરવામાં આવી છે.