મોડાસામાં માટીના ગણેશની સ્થાપના
મોડાસામાં માટીના ગણેશની સ્થાપના
Published on: 14th September, 2026

મોડાસા શહેરમાં ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની મૂર્તિના વેચાણમાં 10% કરતાં વધુનો વધારો નોંધાયો છે. લોકોએ મુખ્યત્વે સોસાયટીઓ અને ઘરોમાં ઇકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિઓની ખરીદી પસંદ કરી. કુંભારવાડામાંથી 250-300 માટીની મૂર્તિઓ વેચાઈ, જેમાં બાળ ગણેશની મૂર્તિઓની માંગ વધુ રહી. અનેક યુવા ગ્રુપ, મંડળો અને 20-25 સોસાયટીઓમાં ભવ્ય આયોજન થયું. ગામડાઓમાં વરસાદી માહોલને કારણે ખેડૂતોમાં ખુશી છે અને તેઓ પણ મોટી સંખ્યામાં મૂર્તિ ખરીદવા પહોંચ્યા. આ વર્ષે મોટાભાગના લોકો ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ પસંદ કરતા જોવા મળ્યા.