છોટા ઉદેપુરના નસવાડીમાં રક્ષાબંધન પર્વ પર બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલવાની વિધિ યોજાઈ
છોટા ઉદેપુરના નસવાડીમાં રક્ષાબંધન પર્વ પર બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલવાની વિધિ યોજાઈ
Published on: 28th August, 2026

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે રક્ષાબંધન પર્વની ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ઉજવણી કરાઈ. પવિત્ર પર્વ નિમિત્તે રામનાથ મહાદેવ મંદિર અને ગાયત્રી મંદિરમાં બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલવાની વિશેષ ધાર્મિક વિધિ યોજાઈ. આ પ્રસંગે બ્રહ્મ સમાજ અને અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની અવરજવરથી વાતાવરણ ભક્તિમય બન્યું. પંડિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના બાદ લોકોએ નવી જનોઈ ધારણ કરી. આ પરંપરા બ્રહ્મ સમાજ માટે ધાર્મિક અને આધ્યાત્મિક રીતે મહત્ત્વપૂર્ણ છે.