ભરૂચના ઝઘડિયાના ભાલોદ ગામે શ્રાવણી પૂનમે બ્રાહ્મણોએ નવી જનોઈ ધારણ કરી
ભરૂચના ઝઘડિયાના ભાલોદ ગામે શ્રાવણી પૂનમે બ્રાહ્મણોએ નવી જનોઈ ધારણ કરી
Published on: 29th August, 2026

ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે શ્રાવણ સુદ પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે બ્રહ્મસમાજની વાડી ખાતે બ્રાહ્મણો દ્વારા સામૂહિક જનોઈ ધારણ કાર્યક્રમ યોજાયો હતો. આચાર્ય કિરણ શુક્લના માર્ગદર્શન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ બ્રાહ્મણોએ જૂની જનોઈ ઉતારી નવી જનોઈ ધારણ કરી હતી. કાર્યક્રમમાં ભાલોદ ગામના 20થી વધુ ભૂદેવોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જ્યાં દેવ-પિતૃઓનું સ્મરણ કરી ધાર્મિક પરંપરા મુજબ યજ્ઞોપવિત ધારણ કરવામાં આવ્યું.