કાલોલમાં શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે ભૂદેવો દ્વારા સમૂહ યજ્ઞોપવીત ધારણ
કાલોલમાં શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે ભૂદેવો દ્વારા સમૂહ યજ્ઞોપવીત ધારણ
Published on: 29th August, 2026

કાલોલ ખાતે શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં સ્થાનિક ભૂદેવો દ્વારા સમૂહ નૂતન યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરવાનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો. વૈદિક મંત્રોચ્ચાર સાથે નવીન યજ્ઞોપવીત ધારણ કરાઈ. આ પ્રસંગે નેપાળની કુદરતી હોનારતમાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોના આત્માની શાંતિ માટે વિશેષ શાંતિપાઠ યોજાયો. ભૂદેવો અને ભક્તોએ સાથે મળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રિતેશભાઈ પંડયા, શૈલેષભાઈ જાની અને દીપકભાઈ જાનીએ કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપ્યો.