કીમ તેરાપંથ સમાજ દ્વારા સંવત્સરી મહાપર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ
કીમ તેરાપંથ સમાજ દ્વારા સંવત્સરી મહાપર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ
Published on: 16th September, 2026

કીમ ખાતે તેરાપંથ શ્રાવક સમાજ દ્વારા સંવત્સરી મહાપર્વની ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. પર્યુષણના 8 દિવસ દરમિયાન પરિવારોએ ગહન ધર્મ આરાધના કરી. આચાર્ય મહાશ્રામણજીના પ્રવક્તા ઉપાસિકા લીલાજી મહેતા અને ઉપાસિકા સુમનજી ભંસાલીના સાંનિધ્યમાં અનેક શ્રાવકોએ તપ, જપ અને ઉપવાસ થકી આત્માશુદ્ધિની સાધના કરી. ભગવાન મહાવીર સ્વામીના જીવનદર્શન અને સિદ્ધાંતો પર પ્રકાશ પાડવામાં આવ્યો.