લુણાવાડાના ખાનપુર ખાતે સોમવતી અમાસે ભવ્ય પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન
લુણાવાડાના ખાનપુર ખાતે સોમવતી અમાસે ભવ્ય પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન
Published on: 16th June, 2026

લુણાવાડા તાલુકાના ખાનપુર ખાતે ભગવતી મહિલા ગાયત્રી પરિવાર અને ખાનપુર ગાયત્રી પરિવાર દ્વારા પુરુષોત્તમ માસની સોમવતી અમાસ નિમિત્તે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ યજ્ઞમાં ગર્ભ સંસ્કાર પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો. હજ્જારો ભક્તોએ મહાયજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવી. મહાઆરતી બાદ ભવ્ય મહાપ્રસાદનું પણ આયોજન કરાયું, જેમાં વ્યસન મુક્તિ અને ગુરુદેવના સંદેશાનો પ્રચાર કરવામાં આવ્યો.