સોમવતી અમાસે દક્ષિણ પ્રયાગતીર્થ ચાંદોદ ખાતે શ્રાદ્ધાળુઓનો અવિરત ધસારો, નર્મદા સ્નાન અને મંદિરોમાં દર્શન
સોમવતી અમાસે દક્ષિણ પ્રયાગતીર્થ ચાંદોદ ખાતે શ્રાદ્ધાળુઓનો અવિરત ધસારો, નર્મદા સ્નાન અને મંદિરોમાં દર્શન
Published on: 16th June, 2026

ડભોઇ તાલુકાના દક્ષિણ પ્રયાગતીર્થ ચાણોદ ખાતે અધિક જેઠ માસની સોમવતી અમાસ નિમિત્તે શ્રાદ્ધાળુઓનો જબરદસ્ત ધસારો જોવા મળ્યો હતો. શ્રાદ્ધાળુઓએ પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કર્યું અને કુબેર ભંડારી, શેષનારાયણ, ગંગાનાથ મહાદેવ જેવા પૌરાણિક મંદિરોમાં પૂજા-અર્ચના કરી. મલ્હારરાવ ઘાટ, માળી કુંડળ, પોઇચા ભાઠુ અને કુબેરઘાટ પર ભીડ જોવા મળી. વાદળછાયા વાતાવરણ વચ્ચે શ્રાદ્ધાળુઓએ 'નર્મદે હર' ના નારા સાથે નદીમાં ડૂબકી લગાવી હતી. અધિકમાસ અને અમાસના સંયોગે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી.