અધિક માસ અંતિમ દિવસ અને સોમવતી અમાસે ચાણોદ, પોઇચા, કુબેર ભંડારીમાં ભક્તોનો મહેરામણ
અધિક માસ અંતિમ દિવસ અને સોમવતી અમાસે ચાણોદ, પોઇચા, કુબેર ભંડારીમાં ભક્તોનો મહેરામણ
Published on: 16th June, 2026

અધિક માસનો છેલ્લો દિવસ અને સોમવતી અમાસના સુભગ સમન્વયે નર્મદા કિનારાઓ પર હજારો ભક્તો ઉમટી પડ્યા. ચાણોદ, પોઇચા, ગરૂડેશ્વર અને કુબેર ભંડારી ખાતે નર્મદા સ્નાન અને દર્શન માટે ગુજરાત સહિત મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવ્યા હતા. ભક્તોના ધસારાને કારણે સ્થાનિક હોટલો અને હોમ સ્ટે હાઉસફુલ થઇ ગયા હતા, જેના કારણે બહારથી આવેલા પ્રવાસીઓને રહેવાની મુશ્કેલી પડી હતી. અનેક ભક્તોએ પિતૃ તર્પણ અને અન્ય કર્મકાંડો કર્યા.