સુરેન્દ્રનગરમાં ઈદે મિલાદની કોમી એકતા સાથે ભવ્ય ઉજવણી
સુરેન્દ્રનગરમાં ઈદે મિલાદની કોમી એકતા સાથે ભવ્ય ઉજવણી
Published on: 27th August, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં ઈદ-એ-મીલાદ પર્વની કોમી એકતા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. મુસ્લિમ ધર્મગુરુ હજરત મહંમદ પયગંબરના જન્મદિન નિમિત્તે શહેરની વિવિધ મસ્જિદોમાંથી જુલૂસનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. અગાઉ રાત્રે મસ્જિદોને રોશનીથી શણગારવામાં આવી હતી. ધાર્મિક કાર્યક્રમોમાં મુસ્લિમ સમાજના લોકોએ ભાગ લીધો અને પોતાના વ્યવસાયો બંધ રાખી પરિવાર સાથે પર્વની ઉજવણી કરી.