વલસાડમાં દોઢ દિવસના ગણેશજીની પ્રતિમાનું ભક્તિભાવ સાથે નદી, તળાવ અને દરિયામાં વિસર્જન
વલસાડમાં દોઢ દિવસના ગણેશજીની પ્રતિમાનું ભક્તિભાવ સાથે નદી, તળાવ અને દરિયામાં વિસર્જન
Published on: 16th September, 2026

વલસાડમાં દોઢ દિવસના શ્રીજીનું વિસર્જન રંગેચંગે થયું. કેટલાકે પ્રતિમા નદી, તળાવ કે દરિયામાં વિસર્જિત કરી. પરંતુ, જાગૃત ભક્તોએ નદી પ્રદૂષિત ન કરવાના ઉમદા વિચાર સાથે ઘરની બહાર બનાવેલા મિની તળાવ કે પાણી ભરેલા ડ્રમ-ટાંકીમાં મૂર્તિનું વિસર્જન કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો. વલસાડ, ધરમપુર, નાનાપોંઢા અને કપરાડા તાલુકામાં ભક્તોએ 14મી સપ્ટેમ્બરે સ્થાપન કરેલી પ્રતિમાનું બીજા દિવસે બપોરે વિસર્જન કર્યું. આ રીતે ભક્તોએ સ્વચ્છ ભારતનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડ્યો.