અમદાવાદ-મસ્કત સીધી ફ્લાઈટ પુનઃ શરૂ કરવા CM પાસે રજૂઆત.
અમદાવાદ-મસ્કત સીધી ફ્લાઈટ પુનઃ શરૂ કરવા CM પાસે રજૂઆત.
Published on: 13th May, 2026

મસ્કતમાં રહેતા ગુજરાતીઓએ CM પાસે અમદાવાદ-મસ્કત સીધી ફ્લાઈટ ફરી શરૂ કરવા રજૂઆત કરી. કોરોના બાદ બંધ થયેલી આ ફ્લાઈટના અભાવે મુસાફરોને દુબઈ, અબુધાબી, મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ મારફતે મુસાફરી કરવી પડે છે, જેમાં સમય અને ખર્ચ બંને વધે છે. ખાસ કરીને દર્દીઓ, વૃદ્ધો અને બાળકો સાથે મુસાફરી કરતા પરિવારોને મોટી તકલીફ પડે છે. ભુજ-અમદાવાદ ફ્લાઈટ અને એરપોર્ટના પ્રશ્નો પણ ચર્ચાયા. સરકારે સહાનુભૂતિ દર્શાવી અને જરૂરી પ્રયાસ કરવાની ખાતરી આપી. આ ફ્લાઈટ શરૂ થવાથી હજારો ગુજરાતી પરિવારો અને વેપારીઓને રાહત મળશે.