PM મોદીની અપીલ: 5 રાજ્યોમાં ઇંધણ બચાવવા કડક નિર્દેશ.
PM મોદીની અપીલ: 5 રાજ્યોમાં ઇંધણ બચાવવા કડક નિર્દેશ.
Published on: 13th May, 2026

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ઈંધણના પુરવઠા પર અસર પડવાની આશંકા છે, જેને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ દેશભરમાં ઈંધણ બચાવવાની અપીલ કરી હતી. આ અપીલને પગલે ભાજપ શાસિત રાજ્યોમાં કડક અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોએ સરકારી સ્તરે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા માટે મહત્ત્વના નિર્ણયો લીધા છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં આવનારા કોઈ પણ મોટા આર્થિક કે ઊર્જા સંકટનો સામનો કરવાનો છે.